Archive

Archive for the ‘અનિલ જોષી’ Category

મારી કોઈ ડાળખીમાં – અનિલ જોષી

June 25, 2011 Leave a comment

મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી, મને પાનખરની બીક ના બતાવો!

પંખી સહિત હવા ચાતરીને જાય, એવું આષાઢી દિવસોમાં લાગે,
આંબાનું સાવ ભલે લાકડું કહેવાઉં, પણ મારામાં ઝાડ હજી જાગે…

માળામાં ગોઠવેલી સળી હું નથી, મને વીજળીની બીક ના બતાવો!
એકે ડાળીથી હવે ઝીલ્યો ન જાય, કોઈ રાતી કીડીનોય ભાર!

એક પછી એક ડાળ ખરતી જોઉં ને થાય, પડવાને છે કેટલી વાર?
હું બરફમાં ગોઠવેલું પાણી નથી, મને સૂરજની બીક ના બતાવો!

– અનિલ જોષી